શ્રી રાજયોગી નરેન્દ્રજી

Ramnavmi

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

રામનવમી ૨૦૨૩

રામે ધારણ કીધાં ધનુષ્ય બાણ રાક્ષસો સંહારવા,ઋષિ મુનિઓને સુખી કર્યા, રાક્ષસોના ત્રાસથી,રાજયોગીજીએ ધારણ કીધો સેવાતણો સરંજામ,જનહિતાય જનસુખાય. ચાહે રામનવમી, ચાહે રાધાષ્ટમી,ફરક ફક્ત એક દિન તણો,રામનવમીના શ્રીરામ કહેવાયા મર્યાદા પુરૂષોત્તમ,રાધાષ્ટમીના રાજયોગીજી

Read More »

પાપ મુક્તિ કવચ

સાત્વિક જીવનના યાત્રીઓ, રામનવમીના પાવન પ્રસંગે રામરાજ્યના માહોલ સમા શ્રધ્ધા ધામમાં આપ સર્વેનું અભિવાદન કરતા હું આનંદ અનુભવી રહ્યો છું. આપની જીવનયાત્રા આનંદયાત્રા બની રહે અને રામરાજ્યની અનુભૂતિ કરતા રહો

Read More »

જીવનને રામમય બનાવીએ

વ્હાલા અવધવાસી આત્મીયજનો, આજે રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ છે. સમયના વહેણની સાથે સાથે રામ નામનું વહેણ લોકહૃદયમાં અસ્ખલિત વહેતું રહ્યું છે. લોકહૃદયમાં સ્થાન મેળવનાર અવતારી આત્માઓ, સંતો, સદગુરૂઓની સાત્વિકતા, સત્ય, પ્રેમ,

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.