પરમશક્તિનો પાટોત્સવ
વ્હાલા આત્મીયજનો, શ્રધ્ધા તીર્થ ધામમાં આજે માતાજી-પરમશક્તિ મા ગાયત્રીનો ૩૫ મો સ્થાપના દિન ઉજવાઈ રહ્યો છે. શ્રધ્ધા ધામ એક આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર બની રહ્યું છે. સવા કરોડ મંત્ર પોથીમાંથી સ્ત્રવતા
રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.
વ્હાલા આત્મીયજનો, શ્રધ્ધા તીર્થ ધામમાં આજે માતાજી-પરમશક્તિ મા ગાયત્રીનો ૩૫ મો સ્થાપના દિન ઉજવાઈ રહ્યો છે. શ્રધ્ધા ધામ એક આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર બની રહ્યું છે. સવા કરોડ મંત્ર પોથીમાંથી સ્ત્રવતા
વ્હાલા આત્મીયજનો,શ્રધ્ધા ધામમાં મારી દિવ્ય માવડી મા ગાયત્રીને નિવાસ કરીએ 33 વર્ષ પૂર્ણ થયા અને ૩૪ માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. શ્રધ્ધામાં મા ની હાજરી અહર્નિશ વર્તાતી રહે છે.
વ્હાલા ઉપાસક આત્મીયજનો,આજે નવમી ડિસેમ્બર, માતાજીનો પાટોત્સવ અને ભાવિકોનો ઉપાસના દિન. નવમી ડિસેમ્બર ૧૯૮૯ ના પાવન દિવસે માતાજીએ પોતાના મયુરબાળ અને તેમના પરિવાર સાથે શ્રધ્ધા ધામમાં નિવાસ કર્યો. બત્રીસ વર્ષથી
વ્હાલા શ્રધ્ધાળુ આત્મીયજનો, શ્રધ્ધા ધામમાં માતાજીએ એના બાળકો સાથે નિવાસ કર્યે આજે ૨૯ વર્ષ પૂર્ણ થયા અને ત્રીસમાં વર્ષમાં પદાર્પણ કર્યું. નવમી ડિસેમ્બરને ઉપાસના દિન તરીકે ઉજવવામાં આવે છે. શ્રધ્ધા
પરમના પ્યારા વ્હાલા આત્મીયજનો, આજથી સત્તાવીસ વર્ષ પહેલા તા. ૯-૧૨-૧૯૮૯ ના દિવસે મા ભગવતી ગાયત્રી માતાજીએ શ્રધ્ધા ધામમાં મંગલાચરણ કર્યું હતું. શ્રધ્ધામાં માતાજીએ નિવાસ કર્યો, પોતાનું નિજધામ બનાવ્યું. સવા કરોડ
પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.
આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
અહીં તમારું ઈ-મેઈલ આઈડી આપવાથી પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીની આ વેબ સાઈટમાં અવારનવાર ઉમેરવામાં આવતા લેખો, ફોટા વિગેરેની માહિતી આપને આપના મેઈલ પર જાણ કરવામાં આવશે.
Copyright @ 2023 Rajyoginarendraji.com. All rights reserved.